ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય વળતર અપાવવા માંગણી કરીફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં આવીને ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં તારીખ 26 8 2014 ના રોજ ભારે થી અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ્થળ ચકાસણી કરીને સર્વે કરી સરકાર તરફથી વળતર અપાવા માટે ફતેપુરા તાલુકા ના સર્વ ખેડૂત ભાઈઓ વતી ભીલ પરદેશ કિસાન મોરચા ફતેપુરા દ્વારા મેહુલભાઈ ટાઈગરની આગેવાની હેઠળ મામલતદાર કચેરી માં આવીને નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયાર ને આવેદનપત્ર રજૂ કર્યું હતું નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયાર આવેદનપત્ર સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી આપી હતી

