Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની આંગણવાડીઓમા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

આજરોજ આઈ.સી. એસ. ઝાલોદ ખાતે સંકલિત બાળવિકાસ યોજના અધિકારીના માર્ગદર્શનથી ઝાલોદ તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર અને બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં આંગણવાડીના નાના નાના બાળકો દ્વારા રાધા કૃષ્ણની વેશભૂષા કરવામાં આવી અને મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલ માં જન્મ થયો હતો આ તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની ઉજવણીમાં માતા વાલીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી અને બાળકોમાં શ્રી કૃષ્ણ જનમોત્સવને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. “નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી”. નાદ સાથે હર્ષઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી .

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

ભાજપે 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial