આજરોજ સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ ડામોર,મનસુખભાઈ કટારા અને શોભનાબેન ડામોર દ્વારા ઝાલોદ એમજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી અને હાલમાં જે એમજીવીસીએલ દ્વારા ગામના લોકોને વધારે બિલ આપી દેવામાં આવ્યા છે અને જે બહારથી વિજિલન્સ આવે છે તે કોઈને પણ પૂછ્યા વગર ડાયરેક્ટ ઘરમાં ભરાઈ જાય છે અને તેઓ પોતે કોણ છે તેની પણ ઓળખ આપ્યા વગર અને ગ્રાહકને કંઈ પણ જાતની વાતચીત કર્યા વગર કેસ કરીને ૨૦ થી ૩૦ હજાર રૂપિયા દંડ આપી દેવામાં આવે છે જેનો વિરોધ કરી જણાવવામાં આવ્યું કે જે લોકોને ખોટી રીતે દંડ આપવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે અને ગામની અંદર જે થાંભલાઓ પડી જાય એવી હાલતમાં છે એ થાંભલાઓને સરખી રીતે કરવામાં આવે અને જો થાંભલાઓ સરખી રીતે કરવામાં નહીં આવે અને કોઈ જાનહાનિ થઈ તો ઝાલોદ mgvcl ની જવાબદારી રહેશે અને જે વધારે બીલ આપવામાં આવ્યા છે તે બિલ માં સુધારો કરી યોગ્ય બિલ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી.

