ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
અનાજ માર્કેટ પણ સંપૂર્ણ બંધ રાખવામા આવ્યું હતું
આવશ્યક સેવાઓ દવાખાનાઓ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા હતાઆદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે આ બંધ સફળ થાય તે માટે ફતેપુરા તાલુકાનાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખીને આદિવાસીના બંધના સમર્થનને સમર્થન આપ્યું હતું ભારતીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આદિવાસી અને દલિત સમુદાયના અનામતના સંદર્ભે પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ કિમિલીયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં ભારત 21 ઓગસ્ટના રોજ આદિવાસી તેમજ દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ એલાનના પગલે ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર બલૈયા આફવા સુખસર ગામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર જડબેસલાક બંધ રાખીને આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધના એલાને સમર્થન આપ્યું હતું આદિવાસી સમાજના આ બંધના એલાનને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખીને આદિવાસી સમાજ સાથે કદમથી કદમ મિલાવીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું હતું ફતેપુરા જડબેસલાક બંધ રહેતા ફતેપુરા તાલુકાના આદિવાસી અગ્રણીઓ દ્વારા નગરના વેપારીઓનો આભાર માન્યો હતો

