ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
- સૂત્રચાર સાથે રેલી નગરના વિવિધ મુખ્ય માર્ગ પર ફરી માતાજીના મંદિરે આગળ સમાપ્ત થયેલ હતી
ફતેપુરા નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી
બાંગ્લાદેશમાં ઉગ્ર હિંસા અને આંદોલનો ચલાવી રહ્યા છે જેને લઇ જેહાદી તત્વો દ્વારા હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ હિન્દુઓ ઉપર અત્યાચાર હિન્દુઓની મિલકત લૂંટવી લૂંટફાટ કરવી આગજની કરવી બહેન બેટીઓ ઉપર દુરાચાર કરવો જેવી નિંદનીય ઘટનાઓ બની રહી છે તેને સખત શબ્દોમાં હિન્દુ સમાજ વખોડી રહ્યો છે તેના વિરોધમાં આજે ફતેપુરા નગરના હિન્દુ સંગઠનો દ્વારા હાથમાં વિવિધ બેનરો લઈને સૂત્રચાર કરીનગરમાં રેલી કાઢવામાં આવી હતી રેલી માતાજીના મંદિરેથી શરૂ થઈ નગરના વિવિધ માર્ગો પર ફરી પરત માતાજીના મંદિરે આવી સમાપ્ત થયેલ હતી હિન્દુઓ પર થયેલા અત્યાચારનો સખત વિરોધ કરીએ છીએ તેમજ સરકાર ને આ બાબત પર ધ્યાન દોરવા માટે અને ત્યાંની સરકાર જોડે વાટાઘાટા કરી નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે

