ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન માં ફતેપુરા પી.એસ.આઇ ગીરીરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને ઉજવણી કરવાની હોય તેના અનુસંધાનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય હતી જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ ફતેપુરાના વેપારીઓ હાજર રહ્યા હતા શુક્રવારના રોજ શુક્રવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે ફતેપુરા પીએસઆઇ પરમારે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને રેલીનો રૂટ જેમ નક્કી કરેલ છે તે રૂટ મુજબ જ રેલી કાઢવા માટે અનુરોધ કર્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજનું ચા નાસ્તા દ્વારા સ્વાગત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ હતું

