દિપકઅમલિયાર.
આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શૈલેશાનંદજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા છાસ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આતશબાજી કરવામાં આવી. આ શુભ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ પ્રિતેશ શાહ તથા કમલેશ દરજી, દિનેશ કોળી, ઉમેદ પટેલ, કમલ હાઇસ્કૂલ પિપલોદ ના આચાર્ય ડી.સી.પટેલ દ્વારા સનાતન વર્લ્ડ પરિવાર પિપલોદ ટીમના
સંદીપ ચીકલીગર, અક્ષુ પટેલ, સંજુ વણઝારા, ગીની અગ્રવાલ, મનીષ પ્રજાપતિ, પ્રકાશ પટેલ, આશિષ પરમાર, વૈભવ પરમાર, કૌશિક પ્રજાપતિ, જય પટેલ, સની પરમાર, ચિરાગ દરજી, મુન્નાભાઈ પરીખ વિગેરે ને ખેસ પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું

