પંકજ પંડિત
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝાલોદ નગર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન દ્વારા રામસાગર તળાવ કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની બહાર તળાવની પાળ થી જતા માર્ગની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ઝાલોદનગર સંયોજક દેવ પીઠાયા અને તાલુકા સંયોજક અભયભાઈ ભાટિયા ,મનીષભાઈ પંચાલ તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

