પંકજ પંડિત
ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ તેમજ અનાજ ગોડાઉન પાછળ નગરપાલિકા વિસ્તાર દ્વારા નગરનો વેસ્ટ કચરો ઠાલવવામા આવે છે. આ કચરાના ડંપીંગ યાર્ડને અહીંયા થી હટાવવા આ વિસ્તારના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે આ વેસ્ટ કચરાની દુર્ગંધ પણ ઘણી વાર આ સોસાયટી વિસ્તારમાં આવતી હોય છે. આ સોસાયટીમા વયોવૃદ્ધ, બાળકો પરિવાર સાથે અહીંયા રહે છે. આ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા અહીંયા રહેતા સ્થાનિકો હેરાન થતાં હોય છે.આ કચરો બાળવામાં આવતા તેની પ્રદૂષિત હવા સોસાયટી વિસ્તારના રહીશોના ઘરમાં આવતો હોય છે જેને લઈ સ્થાનિકોનુ સ્વાસ્થ્ય જોખમાય છે જેમાં વિશેષ વયોવૃદ્ધ લોકો વધુ બીમાર પડતાં હોય છે.જેથી સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે આ ડંપીંગ યાર્ડ અહીંયા થી હટાવવામા આવે જેથી આ કચરાની દુર્ગંધનો સામનો રહીશોને કરવો ન પડે તેમજ આ કચરાના ઢગલાને બાળવામાં ન આવે જેથી તેનો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય ન બગાડે. ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફીસર યોગેશ ગણાત્રા હાલ નવા આવેલ છે પણ કામગીરી ખૂબ સારી હોવાનું જાણવા મળેલ છે જેથી સ્થાનિકોની આ સમસ્યાનુ કાયમી સમાધાન નગરપાલિકા કાઉન્સિલરો સાથે બેસી લાવે તેવી માંગ કરવામાં આવેલ છે.

