બ્યુરો ચીફ કેતન ભટ્ટ
આજરોજ દાહોદ ખાતે તારીખ 10 5 2024 શુક્રવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ દ્વારા દિવ્ય પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી ભરત વાટિકા ખાતે કરવામાં આવી જેમાં પરશુરામ દાદા ની પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ સમગ્ર દાહોદ જિલ્લાના ભૂદેવ એ મોટામાં મોટી સંખ્યામાં શોભા યાત્રા નીકાળી હતી યાત્રા ની શરૂઆત હનુમાન બજારથી નીકળી ને નગરપાલિકા ચોકથી થઈને ગૌશાળા થી હનુમાન બાજાર ભરત વાટિકામાં પુર્ણાહુતિ થઈ જેમાં દાહોદ જિલ્લાના સર્વે ભૂદેવને મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા પછી મહાપ્રસાદીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો એ મહાપ્રસાદનો લાભ લીધો

