Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન : ચૂંટણી પ્રચાર માટે આવશે બહાર

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. માત્ર 5 મિનિટથી પણ ઓછા સમયમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવી

9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે પણ કેજરીવાલની ધરપકડને કાયદેસર ઠેરવી હતી અને કહ્યું હતું કે વારંવાર સમન્સ જારી કર્યા પછી અને તપાસમાં જોડાવાનો ઈન્કાર કર્યા પછી, ED પાસે ‘ખૂબ જ ઓછો વિકલ્પ’ બચ્યો હતો.

21 માર્ચે કેજરીવાલની ધરપકડ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે. બેન્ચે 7 મેના રોજ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Share

Related posts

વર્ક વીઝાની લાલચ આપી 15 લાખ ખંચેર્યા : ઠગબાજો ફરાર – જાણો વધુ

gujaratjanekta

વડોદરાના મેકેનિકલ ઈજનેરે નાળિયેરના કચરામાંથી બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન – જાણો વધુમા

gujaratjanekta

PM મોદી આજે દેશના 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ યુનિટનું કરશે ઉદ્ઘાટન,

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial