કિશોર સિંહ સોલંકી.
તારીખ 03/04/2024 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત અત્રેની ૧૩૨–દાહોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને મતદાન અંગે જાગૃતિ વધે અને વધુ મતદાન થાય તે હેતુથી રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું સુધી કરવામાં હતું. આ રેલીમાં મતદાન વધુ પ્રમાણમાં થાય માટે બેનર્સ સાથે મતદાન માટે મતદારો ને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ મતદાન રેલી માં મોટી સંખ્યામાં મતદારો અને વિધાર્થીઓ જોડાયા હતા. આ રેલી માં દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા સાહેબ,ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ , નગર નિયોજક અસ્ફક કડવા સાહેબ,નાયબ મામલતદાર પ્રજ્ઞેશ કપાસિયા સાહેબ,ઇજનેરી કોલેજ ના સ્ટાફ ગણ સિક્યુરિટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહિયા હતા, રેલી ના અંતે મતદાન માટે ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ દ્વારા શપથ લેવડાવામા આવ્યા હતા.

