પંકજ પંડિત- ઝાલોદ.
આજરોજ 21-06-2024 શુક્રવારના રોજ સવારે આસરે 6:30 વાગે રાજકોટ-દાહોદ થી ઝાલોદ આવતી એસ.ટી બસમાં આસરે 30 વર્ષની ઉમર ધરાવતા યુવકનો મૃતદેહ બસમાં જોવા મળેલ હતો.
બનાવની વિગત મુજબ રાજકોટ થી રાત્રે 8:30 વાગે ઉપડનાર રાજકોટ-દાહોદ થઈ ઝાલોદ આવતી GJ-18-Z-8670 નંબરની એસ.ટી બસ આસરે સવારે 6:30 વાગે ઝાલોદ આવી ગયેલ હતી. બસની અંદરના બધા પેસેન્જર ઉતરી જતાં એક યુવક બસના કંડક્ટરને સૂઈ ગયેલ જોવા મળેલ હતો તેની પાસે જઈ તપાસ કરતા આ યુવક મૃત થયેલ જોવા મળેલ હતો. એસ.ટી બસના કંડક્ટર દ્વારા તાત્કાલિક ઝાલોદ એસ.ટી ડેપોની ઓફિસ જઈ વિગતવાર માહિતી આપી હતી.
મૃત થયેલ યુવકના પાસે મોબાઈલ હોવાથી તેના મોબાઈલ થી મૃત થયેલ યુવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને માહીતી મળતા તાત્કાલિક ઝાલોદ ખાતે પાસે આવી ગયેલ હતા તેમજ મૃતકના પરિવારજનો પાસે માહિતી લેતા મૃતક વ્યક્તિનુ નામ રાકેશ સબુડા ગરાસીયા જણાવેલ હતુ તેમજ તે રાજસ્થાનના ગાંગડતલાઈના સાગનબંગલા પાસેનો હોવાનુ માલુમ પડેલ હતું. ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા તાત્કાલિક પોલીસને બોલાવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

