આજ રોજ ગાંગટા ગામે એક સામાજિક પ્રસંગમાં ગાંગટા ગામના વતની અને દાહોદ આશીર્વાદ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડો.બી.કે.પટેલે તેમના પિતાશ્રી સ્વ.ખેમાભાઈ નાથાભાઇ કુબેરભાઈ પટેલના સ્મરણાર્થે રૂ.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખનો ચેક મહીસાગર માતા મુક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ માટે દાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને ઉપપ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશ શ્રી શૈલેશકુમાર ઠાકરને અર્પણ કર્યા જે આભાર સાથે સ્વીકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.બી.કે.પટેલ શ્રી મૂળજીભાઈ પટેલ – પૂર્વ પ્રમુખ શ્રી ખાનપુર તાલુકા ભાજપા ડો.બી.ઓ.મહેતા લીમડિયા, વગેરે એ સ્મશાન ગૃહની રૂબરૂ મુલાકત લીધી અને હાલમાં ચાલી રહેલી કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

