Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગોધરા કોર્ટમા પાવર ઓફ એટર્ની ની અધિકારીતા પુરવાર ન થતા ૧૫ લાખ ના ચેક રિટર્ન કેસમા આરોપી નિર્દોષ જાહેર !!

વિરેન મેહતા – 

શ્રી રામ ટ્રાન્સપોર્ટ દ્વારા તેઓએ આપેલ પાવર ઓફ એટર્ની ધારક નિલેશ જે પરમાર મારફતે ગોધરા ના બીજા એડિશનલ સીવીલ જજ અને જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા શહેરા તાલુકાના ધારાપુર ના આરોપી સુરેશભાઈ દલપતભાઈ પટેલીયા સામે એન આઈ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. જેની મુખ્ય વિગતો જોતા આરોપી એ JCB લાવવા માટે વર્ષ તા. ૨૮/૦૩/૨૦૧૪ માં રૂ ૬ લાખ ની લોન લીધેલ હતી. જેના હપ્તા સમયસર ભરપાઈ નહિ કરતા ફરીયાદીએ ઉઘરાણી કરતા રૂ ૧૫ લાખનો એક્ષીસ બેંક અમદાવાદ નો તા ૧૮/૧૨/૨૦૧૯ ના રોજ નો ચેક આપ્યો હતો જે ચેક અપૂરતા ભંડોળ ને કારણે પરત ફરતા સમગ્ર કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ જીજ્ઞેશ બી જોશી દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરેલા પુરાવા જોતા નામદાર કોર્ટ અવલોકન કરેલ કે રજુ કરેલા ચેક મા આરોપીનુ નામ પટેલ સુરેશભાઇ છાપેલુ છે જ્યારે કેસ પટેલીયા સુરેશભાઇ દલપતભાઈ સામે કરેલ છે. વધુમાં આરોપી પક્ષે જણાવેલ કે અમદાવાદ નવરંગપુરા ખાતે ની એક્ષિશ બેંક મા આરોપીનુ કોઈ ખાતુ જ નથી વધુમા ફરિયાદ પક્ષે રજુ કરેલા પાવર ઓફ એટર્ની ની કાયદેસર ની સામે પણ પ્રશ્નો ઉઠાવી તે બાબતે ઉલટ તપાસ કરતા કબુલ કરેલ કે ફરીયાદ કરવા માટેની સત્તા કંપની સેક્રેટરી એ આપેલ છે અને કંપની સેક્રેટરી મેનેજીંગ બોર્ડ મા મેમ્બર નથી અને કંપની તરફથી ફરિયાદ કરવાની સત્તા આપી હોય તેવો કોઈ દસ્તાવેજ રજૂ કરેલ નથી વધુમા પટેલીયા અને પટેલ એ બન્ને અલગ અલગ અટક હોય છે અને આરોપીએ પોતાને આવો કોઈ ચેક આપેલ નથી વધુમાં રજુ કરેલ ખાતાનો ઉતારો જોતા રૂ ૨૧,૭૨,૮૦૮/૩૩ બાકી બતાવેલ છે. કેટલા હપ્તા ભર્યા તે પણ બતાવેલ નથી આમ સમગ્ર રીતે પાવર ઓફ એટર્ની હોલ્ડર ને તથાકથીત ચેક ના વ્યવહાર ની કોઈ જાત માહિતિ નથી તેથી આરોપીને સજા કરી શકાય નહીં વધુમા ચેક આરોપીના ખાતા નો હોવાનો પણ કોઈ નક્કર પુરાવો રજૂ કરી શકેલ ન હોઇ ફરીયાદી પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય એડવોકેટ જે બી જોશી ની દલીલો અને એપેક્ષ કોર્ટ નાં વિવિઘ ચુકાદા ને ધ્યાને રાખીને આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે

Share

Related posts

નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ ફરજો-કામગીરી બજાવી રહેલા વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓ

gujaratjanekta

ઝાલોદ નગરમાં બે બાઇક સવાર ઇસમો મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર : મોટા ભાગના જાહેર રોડ પરના કેમેરા બંધ હાલતમાં

gujaratjanekta

ઝાલોદ દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાહગીરોને ગરમીમાં ઠંડક મળે તે હેતુથી લીંબુ પાણીનું વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું પી.એસ.આઈ સીસોદીયા પણ આ સેવાકીય કાર્યમા જોડાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial