સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
રાજ્માં દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં અત્યારે અંદાજીત 300 થી 350 પિયત મંડળીઓ છે.
ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે. આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા માટે પાઈપલાઈન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે. મહત્વનું છે કે, ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે.

