Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ સરકારી નોકરી/યોજનાઓ

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયો

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ -૨૦૨૩ અંતર્ગત ખેડૂતો ફરી ઝાડા ધાન્ય પાક કરતા થાય તે માટે સરકાર પ્રયતનશીલ છે. આજના સમયમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજના સમયની માંગ છે પ્રાકૃતિક ખેતી અને તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પ્રયત્નશીલ છે. રાસાયણિક ખાતર થકી જમીન બગડી રહી છે જેથી પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉપાય છે જેના થકી જમીનની ગુણવત્તામાં સુધારો કરી શકાય અને વધુ અનાજ પકવી શકાય.


વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપને આપણી જૂની પરંપરા સાચવી રાખવી જોઈએ અને જિલ્લામાં પ્લાસ્ટિક થી મુક્તિ માટે ખાખરાનાં પાન માથી પત્રાલા બનાવવા જોઈએ અને આત્મનિર્ભર બનવું જોઈએ. કૃષિ ઉત્પાદન વધારવાના પ્રયાસોની સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવો જાહેર કરીને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા તથા આવક બમણી કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ આણવાનુ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો પણ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, ઇકેવાયસી, લેન્ડ સીડીંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતો.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આઇ સી ડી એસ કચેરીનું “મિલેટની વાનગીઓ”પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાન્ત પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર. પટેલ,સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઇ વળવાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સંતરામપુર મામલતદારશ્રી, સંતરામપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી સહીત મોટી સંખ્યામા ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

ઝાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા તેઓના સમાજના શૈક્ષણિક ક્ષેત્રે આગળ રહેતા તેજસ્વી તારાઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial