Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા દશેરા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીઓમાંથી કુલ 6 નમૂના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

નવરાત્રી અને દશેરા નિમિત્તે ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ) દ્વારા મીઠાઇ, માવો, પ્રીપેર્ડ ફુડ, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૧૫ નમૂના સ્થળ પર જ તપાસ્યા હતા અને બિન આરોગ્યપ્રદ ૨૩૫ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. દશેરાને ધ્યાનમાં રાખીને ફાફડા-જલેબીનું વેચાણ કરતી દુકાનો તેમજ તંબુ વગેરેમાં ચેકિંગ કરીને બેકરી પ્રોડકટસના તેમજ ફાફડા-જલેબીના કુલ ૨૦ નમૂના લઇ તપાસ માટે રાજ્ય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

તંત્ર દ્વારા હજુ પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઇ-ફરસાણની દુકાનોમાં તપાસ કામગીરી ચાલુ રખાશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share

Related posts

ફતેપુરા સંગઠનની મિટિંગમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફતેપુરા આમ આદમી પાર્ટી સંગઠનની મીટીંગ યોજાઇ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ શાખા દ્વારા સ્થાપના દિન અને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ડભોઈ વિધાનસભા ક્ષેત્રમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial