સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
ગુજરાતમાં તહેવારો નજીક આવતાની સાથે પોતાના વતન તરફ જવા લોકો મોટાભાગે ST બસોનો ઉપયોગ કરતા હોય છે. ST બસોમાં ભીડ વધુ હોવાને કારણે કેટલાક ગઠીયાઓ આવી ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોય છે ત્યારે વાપી બસ ડેપોથી સવારે 11.00 કલાકે વાપી થી દાહોદ તરફ જતી બસમાં એક મહિલા મુસાફર વડોદરાના મકરપુરા થી કાલોલ ખાતેની ટીકીટ લઇ બસમાં બેઠા હતા અને પોતાનુ સ્ટેન્ડ આવતા તેઓ કાલોલ ડેપો ઉતરી ગયા હતા પરંતુ પોતાની સાથેનુ 15 હજાર રૂપિયા ભરેલુ પાકીટ બસ માં ભુલી ગયા હતા.

આમ મહિલાને પંદર મિનિટ પછી પોતાનુ પાકીટ યાદ આવતા તેઓ મોટર સાઇકલ ઉપર આવી બસમાં જે સીટ ઉપર બેઠા હતા ત્યા તેમજ આજુબાજુ તપાસ કરતા પાકીટ ન મળતા તેઓ નિરાશ થઈ બસના પેસેન્જરોને આજીજી કરી હતી તેવામાં મહિલા કંડક્ટર શ્રીમતી નિશાબેનની સતર્કતાથી બસના તમામ મુસાફરોને કડક શબ્દોમાં કહ્યું કે હું કોઈપણ મુસાફર ને ઉતરવા દેવાની નથી અને ગાડી સીધી પોલિસ સ્ટેશન લઈ જવ છું.

તેમછતાં જો કોઇએ પર્સ લીધુ હોય તેમને 10 મિનિટનો સમય આપુ છુ અને બસ ની લાઈટ બંધ કરું છું જો કોઈ વ્યક્તિ દ્વારા ભૂલ થી પાકીટ લેવાઈ ગયું હોય તો બસ ની ગેલેરી માં મૂકી દેવું અને આમ બસની લાઈટ બંધ કરતા જ કોઈ મુસાફર દ્વારા 15000 હજાર રૂપિયા ભરેલુ પાકીટ જે તે જગ્યા પર મૂકી દેવાયું હતુ. આમ કંડક્ટર શ્રીમતી નિશાબેનની સતર્કતા અને કળનો ઉપયોગ કરી મુળ માલિક પરમાર અનસુયાબેન ભરત ભાઈને પાકીટ પરત કર્યુ હતુ. હાજર સૌ કોઈએ કંડક્ટર નિશાબેનની આ સતર્કતાના વખાણ કર્યા હતા.

