Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર ના વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર ભૂગર્ભમા !!

jરિપોર્ટર :-અબ્દુલ્લાહ પંજાબી

અહેવાલ:-મેહફુઝ હસન

ગોધરા શહેર નું પશ્ચિમ વિસ્તાર એટલે વિકરાર સમસ્યા ઓ થી ભરપુર વિસ્તાર લોકો દ્વારા માણવામાં આવે છે કે કારણકે ગોધરા નો પશ્ચિમ વિસ્તાર પછાત વિસ્તાર માં પ્રશાસણ દ્વારા ગણવા માઁ આવતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે વાત કરીએ વોર્ડ નં ૬ ની તો વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો માનો લોકો ને માંદગી માં ધકેલતા હોય તેમ લાગી રહ્યું છે !! કારણકે વોર્ડ નંબર ૬ માં એક મોટી ગટર આવેલી છે તે ગટર નું પાણી લોકો ના ઘરો માં અવાર નવાર ભરાય જાય છે ત્યારે આ ગટર ની સાફ બાબતે સ્થાનિક કાઉન્સિલરો ને માનો પ્રજા નો વોટ લઇ માર્કેટ માં વટ મારતા હોય તેમ લાગી રહ્યું છે !!

  એક તરફ ભારત ના યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અનેક ભાષણો માં સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરે છે ત્યારે ગોધરા નગરપાલિકા ના વહીવટ કરતાઓ ને કોઈ ફરક પડતો ના હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો ને અનેકવાર રજુઆતો કરવા છતા વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો પોતાના ધંધાઓ ના વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે વોર્ડ નંબર ૬ માં એક કાઉન્સિલર સબ્જી વેચવામાં વ્યસ્ત છે બીજા કાઉન્સિલર પોતાના લાકડા ના ધંધા માં વ્યસ્ત છે ત્યારે અન્ય બે મહિલા સભ્યો ભૂગર્ભ ઉતરી ગયા હોય તેમ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આ બાબતે સ્થાનિક પ્રશાસણ ક્યારે એક્શન લેશે તે જોવા નું રહ્યું !?

 

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ઝાલોદ નગર દ્વારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી વિજયા દશમી ઉત્સવ અને પથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા – ૨ ખાતે પોષણ માહ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

gujaratjanekta

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial