Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ ઝાલા વસૈયા ચોકમાં આદિવાસી સુરક્ષા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

પંકજ પંડિત

આદિવાસીઓમા સામાજિક એકતા, જાગરૂકતા અભિયાનને લઈ તારીખ 9 ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસથી આદિવાસી ગણનાયક બીરસા મુંડાના ગામ અલીહાતું ઝારખંડ થી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા ઝારખંડ ,છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફરવાની છે. આ યાત્રા 54 દિવસની છે. આ આદિવાસી યાત્રા 2 ઓક્ટોબરના દિવસે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દઢગાવ ખાતે પૂર્ણ થનાર છે.
આદિવાસી સુરક્ષા યાત્રા આજ રોજ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ મુકામે પહોંચી હતી. આ યાત્રા મુવાડા ઝાલા વસૈયા ચોક થી થઈ ડીજે સાથે નીકળી હતી. આ યાત્રા રાજસ્થાનના વિસ્તારોમાં જવા માટે નીકળી હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

gujaratjanekta

સુરતના ભાજપના કોર્પોરેટરે કરી એવી ભૂલી કે ઉઠાવી ગઈ પોલીસ! જાણો શું છે સમગ્ર મામલો

Admin

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા: કરોડોથી વધુ કરચોરી પકડાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial