Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગિરનાર તીર્થ એ સાધના તથા શુદ્ધિનું સુપર પાવર અને શાંતિનું થર્મલ સ્ટેશન

ભવનાથમાં આવેલી ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય વલ્લભ સૂરીજી અન્ય ભગવંતોની નિશ્રામાં ગિરનારની પરિક્રમા યોજાઈ હતી જેમાં પાંચ વર્ષથી માંડી 65 વર્ષની વયના ભાવિકો જોડાયા હતા આ પ્રસંગે જૈનાચાર્ય પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે ગિરનારની ભૂમિ પરમ પવિત્ર ભૂમિ છે જેના કણ કણમાં પવિત્ર વાઈબ્રેશન રહેલા છે પતિતોને પાવન કરવા પ્રચંડ જ તાકાત આ ભૂમિમાં છે ગિરનાર તીર્થ સાધના અને સુધીનું સુપર પાવર સ્ટેશન છે અને વિશ્વ શાંતિનું થર્મલ સ્ટેશન છે વધુમાં જૈનાચાર્યએ જણાવ્યું હતું કે વિશ્વમાં હિંસાના હુતાસનો સળગી રહ્યા છે ત્યારે કોરોના જેવો રાક્ષસ પંજો ઉગામ તો હોય છે વિશ્વમાં જ્યાં સુધી હિંસાનું તાંડવ બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વમાં રોગચાળો આતંક દુષ્કાળ અને ધરતીકંપ જેવી દુર્ઘટનાઓ ચાલ્યા કરશે ગિરનાર તીર્થની ભૂમિ પરમ પવિત્ર છે જેના કણ કણમાં પવિત્ર વાઈબ્રેશન રહેલા છે આ ધરતી માત્ર સાવજોની જ નથી પણ સાધુ-સંતો અને સાધકોની છે પ્રભુ શક્તિ આપણી ભીતરમાં અવતારિત થાય તો જીવનમાં તમામ સુખો અને સમૃદ્ધિઓ સામેથી આવીને તમારા ચરણોમાં આવી પડે છે જો અંબિકા માતાની કૃપા ઉતરી જાય તો બેડો પાર થઈ જાય માં અંબા માત્ર જુનાગઢ કે ગિરનાર તીર્થની રક્ષા નથી કરતા પણ તમામ દુઃખ, દારીદ્ર, શોખ અને સંતાપનું વિસર્જન કરે છે

Share

Related posts

દાહોદ તાલુકાનાં તણછીયા ગામે ગાય ગૌહરી તહેવારની ઉજવણી કરવામાં આવી .

gujaratjanekta

પરથમપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચુંટણીનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

gujaratjanekta

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની વિશેષ ઉપસ્થિતિમાં દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial