કોરોના મહામારી ને દયાનમાં રાખી ગુજરાત સરકાર ની સમિક્ષા બેઠક બાદ દરેક જીલ્લા તકેદારી ના ભાગરૂપે ની તૈયારી ને લઈને વહીવટી તંત્ર દોડતું થયું છે અને જેના ભાગરૂપે જીલ્લા ના દરેક સી. એચ. સી. સેન્ટર પર જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અને આ મોકડ્રીલ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકા સેન્ટર ની ઓક્સિજન પ્લાન તથા અન્ય જરૃરી વ્યવસ્થાની જાણકારી મેળવી હતી આમ તંત્ર દોડતું થયું છે આ સતર્કતા દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ જગ્યાએ હાલમાં રસીકરણ માટે ની રસીના ડોઝ જોઈએ તેટલી માત્રામાં ઉપલબ્ધ નથી તે ઉપરાંત જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ હાલમાં બાકી લોકો માટે રસિકરણ થઈ શકે તેવી પુરતી સુવિધા હાલમાં ઉપલબ્ધ ન હોવાનું પણ જાણવા મળ્યું છે
ત્યારે હાલમાં પુરતી રસી મળ્યા બાદ તુરતજ બાકી રહી ગયેલા લોકો માટે રસિકરણ માટે ની કાયૅવાહી ને વેંગવતી બનાવાશે તેમજ ટેસ્ટીંગ કેસોને વધારાશે અને બુસટર ડોઝ લેવામાં બાકી રહેલા હોય તેવા લોકો વધુમાં વધુ આવે તેવી પણ વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવશે.

