સંકેત પંડ્યા – એડિટર
ગુજરાતમાં ચૂંટણીને લઈ તમામ પક્ષો મેદાને ઉતર્યા છે.આપ , ભાજપ , કોંગ્રેસ અને અન્ય પક્ષો ખૂબ જ જોર શૉરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે તમામ પક્ષોએ સ્ટાર પ્રચારકોની ટીમ મેદાને ઉતારી છે ત્યારે 2022 વિધાનસભા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે બધી પાર્ટીઓ ના સ્ટાર પ્રચારકો ની સાથે સાથે સાધુ સંતો અને મહંતો પણ ઉમેદવારો ના પ્રચાર અર્થે મેદાન માં ઉતર્યા છે ,ત્યારે 1008 મહામંડલેશ્વર કાલિદાસ બાબા પણ સુરત જિલ્લાની 170 મહુવા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર મોહન ધોડિયા ના પ્રચાર અર્થે મહુવા ખાતે પહોંચ્યા હતા અને પ્રચાર કર્યો હતો , કાલિદાસ બાબા અને ભાજપ ના ઉમેદવાર મોહન ધોડિયા સમર્થકો ની રેલી સ્વરૂપે લગભગ 40 જેટલા ગામો માં પ્રવાસ કર્યો હતો અને પ્રચાર કર્યો હતો જ્યાં ઠેર ઠેર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું , કાલિદાસ બાબા છેલ્લા 40 વર્ષ થી અન્ન જળ નો ત્યાગ કર્યો છે અને માત્ર નારિયેળ પાણી પર જીવિત છે , કાલિદાસ બાબા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ ને પણ મળી ચુક્યા છે.

