સંકેત પંડ્યા – એડિટર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરયુ અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે ગયા હતા
મુખ્યમંત્રી ત્યાર બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરયુ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮-પ૦ કલાકે રાજભવન ગયા.
ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી. તે પૂર્વે મુખ્યમંત્રીશ્રી ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ કર્યા.
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે જનકલ્યાણ માટે વિકાસની જ્યોત જગાવી ‘વિશ્વાસથી વિકાસ’ ની યાત્રા અવિરત આગળ વધારવાની નેમ સાથે દીપાવલી તથા નૂતન વર્ષની શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ હતી
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે જનકલ્યાણ માટે વિકાસની જ્યોત જગાવી ‘વિશ્વાસથી વિકાસ’ ની યાત્રા અવિરત આગળ વધારવાની નેમ સાથે દીપાવલી તથા નૂતન વર્ષની શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ હતી
મુખ્યમંત્ર નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

