સંકેત પંડ્યા – એડિટર
અમદાવાદમાં પોલીસે કડકાઈ દાખવતા ઢોર માલિકો સામે પણ ફરીયાદ કરી છે. મળતી વિગતો અનુસાર પોલીસે 80 જેટલા ઢોર માલિકો સામે આ ફરીયાદ કરી છે. હજુ પણ આ મામલે ફરીયાદ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બનતા હાઈકોર્ટે પણ લાલ આંખ કરી હતી ત્યાપે રખડતા ઢોરને પકડવાની કામગિરી તેજ કરવામાં આવતા ઢોર માલિકો પણ કામગિરીમાં અવરોધરુપ બન્યા હતા. જેથી પોલીસે પણ આ મામલે જાહેરનામું બહાર પાડીને કડકાઈ દાખવી હતી. એક જ મહિનામાં અંદાજિત 80 જેટલા કેસો ઢોર માલિકો સામે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવ્યા છે.
અત્યારે અમદાવાદમાં 22 ટીમો બનાવીને સઘન કામગિરી ઢોર પકડવાની ચાલી રહી છે. ત્યારે કેટલાક સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પશુ માલિકો સાથે મીટીંગ કરીને પશુ માલિકો પણ પોતાના ઢોરને રઝડતા ન મૂકે તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છતાં ઢોર રખડતા હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

