સોલંકી કિશોરસિંહ,
આજ રોજ દાહોદના સનાતનીઓ શ્રી મયંકભાઈ પરમાર અને રાષ્ટ્રીય હિંદુ સંઘ દાહોદના કાર્યકર્તા શ્રી દીપકભાઈ અસલકર દ્વારા ગોધરા રોડ દાહોદ ખાતે નવીન સાહસ ટ્રીપવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દાહોદ નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રામાનંદ પાર્ક દાહોદના પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ, અવંતિ રિસોર્ટ ના માલિક શ્રી ભરતભાઈ બાપુ, દાહોદ જિલ્લા રાજપૂત સમાજના મહામંત્રી શ્રી અરવિંદસિંહ રાઠોડ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દામોદર ના વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય હિંદુ સંઘ દાહોદના કાર્યકર્તાઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ જી દ્વારા આશિર્વચન અને સુભાષીશ આપી મંગલ કામના કરવામાં આવી.

