સાહિલ શેખ – પત્રકાર
સંતરામપુર તાલુકા ના બટકવાડા ખાતે આજરોજ ૧૦ કરોડના ખઁચે તૈયાર થનાર 66 કેવી સબ સ્ટેશન માટે ભુમિ પૂજન વિધી હાથ ધરવામા આવી હતી. ભુમિપૂજન વિધી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોર, પૂવઁ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસંવતસિહ ભાભોર ના હસ્તે કરવામા આવી હતી. કાર્યક્રમમાં આચાયઁ શિક્ષણ સંધ ના સભ્ય જય પ્રકાશભાઇ પટેલ, મહિસાગર જીલ્લા કલેકટર, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત જેટકોના અધિકારીઓ મહાનુભાવો હાજર રહયા હતા. કાર્યક્રમની શરુઆત દીપ પ્રગટાવી તકતીનુ અનાવરણ કરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમા ઉપસ્થિત જનમેદનીને રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડીંડોરે સંબોધી જણાવ્યું હતુ કે 66 કેવી સબ સ્ટેશનથી 26 ગામના આઠ હજાર લોકો ને લાભ થશે. આ વિસ્તાર ના ખેડુત લોકોને સતત ૨૪ કલાક વિજળી મળશે. સંતરામપુર વિધાનસભામાં 66 કેવી સ્ટેશનો ખુલ્લા મુકવામા આવ્યા છે. સંતરામપુર વિધાનસભા મા 900 કરોડના વિકાસ કામો કર્યો છે માનગઢધામના વિકાસ માટે 36 કરોડ ઝુલતા પુલ માટે, 26 કરોડ મજુર કરાયા હોવાનુ કહયુ હતુ. હાજર જનમેદનીને દાહોદના સાંસદ જસંવતસિહ ભાભોર સાહેબે સંબોધી જણાવ્યુ હતુ દેશ ના ઇતિહાસ પહેલીવાર 500 વષઁ પછી પાવાગઢ ધામ પર માતાજી ની ધ્વજા દેશના વડાપ્રધાને ચઢાવી છે. દેશના વડા પ્રધાને 370 ની કલમ હટાવવાનુ ,જમ્મુ કશમીરમા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનુ ,આદિવાસી દિકરા દિકરીઓ માટે અભ્યાસની ચિંતા,માનગઢધામની ચિંતા અને વિકાસનુ કામ માત્રને માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કયુ છે. કોરોના કાળમા સતત બે વષઁ સુધી ગરીબોને અનાજ વિતરણ કર્યું છે અને ફરી મફત અનાજ વિતરણ ની જાહેરાત કરી છે. સાંસદે ગુજરાત કેન્દ્ર સરકાર હસ્તક ના વિકાસ કામો ગણાવી બીજી ઓકટોમ્બર ગાંધીજી ની જન્મ જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી નમન વંદન કરી ઉજવણી કરી હતી.

