ગોધરાની શુક્લ સોસાયટી દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આગેવાન શ્રી શૈલેષભાઈ ઠાકર, વિનાયક ભાઈ શુકલ, બ્રહ્મ ચોર્યાશી પંચના પ્રમુખ સતિષભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ જોશી, નયનભાઈ જોશી, સંકેતભાઈ પંડ્યા, ભાવેશભાઈ ઉપાધ્યાય સહિત યુવા જિલ્લાના આગેવાનો તથા સોસાયટીના વડીલો અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો સાથે લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે સર્વે ભક્તજનોએ ભક્તિભાવ પુર્વક સમૂહ આરતી કરીને વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધું હતું.

શુકલ સોસાયટીના વડીલો, યુવા મિત્રો તથા સર્વે સભ્યો દ્વારા આયોજિત આ મહાઆરતીમાં ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિમય માહોલના અંતે વિહાંગભાઈ દેસાઈ, વિરેન વ્યાસ દ્વારા ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ રાષ્ટ્રગીતનું ગાન કરી “ભારત માતા કી જય” ના નારા સાથે ઉત્સાહ ઉમંગ પુર્વક સર્વેની સુખાકારી અર્થે પ્રાથના કરી હતી.

