Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિરપુર તાલુકાના ગંધારી ગામ નજીકની સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ હાથ ધરી

વિપુલ જોષી – બ્યુરો ચીફ

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગંધારી ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી પુરુષનો મૃતદેહ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વિરપુર પંથકમાં આવેલી કેનાલમાંથી લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગંધારી ગામથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ નજરે પડતાં સ્થાનિક લોકો કેનાલ ઉપર દોડી પહોંચ્યા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહના પરિવારની શોધખોળ હાથ ધરતા રણકપુર ,કડાણા ભેમાભાઈ સરદારભાઈ ડામોરનો હોવાનું સામે આવ્યું છે પોલીસે પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ઝાલોદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે બે અલગ અલગ અકસ્માત સર્જાયાછનામૃત્યુ

gujaratjanekta

એસટી બસ દ્વારા ફતેપુરાને નવીન ત્રણ એસ ટી રૂટ શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદન છવાયો

gujaratjanekta

દાહોદ શહેરના મેડિકલ દવાના નાના મોટા વેપારીઓ દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial