Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

આજ રોજ તારીખ 13/8/2022 ને શનિવારના રોજ “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આપણો ભારત દેશ એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક છે. આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી અન્વયે ઘર ઘર લહેરાતા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડામોરભાઇ તેમજ શાળાના ટ્રસ્ટીશ્રીઓ જાની બ્રધર્સ દ્રારા કરવામાં આવ્યુ.


આ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરી અને રાષ્ટ્રભક્તિના ગીતો, સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી લોક જાગૃત નું અભિયાન રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ આ યાત્રામાં શાળાના આચાર્ય, એડમીન, શિક્ષકો, 
વિદ્યાર્થીઓ અને રેન્જ ફોરેસ્ટના જવાનો નો રાષ્ટ્ર વ્યાપી જુસ્સો અને દેશ પ્રેમ ની ભાવના સાથે ફ્લેગમાર્ચ કર્યો હતો. આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે 75 વીર પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરો પાત્રોમાં ભારતમાતા, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને દેશભક્તિબાં રંગે સૌ કોઈ રંગાઇ ગયા હતા.
આમ એક નવું વિચાર રાષ્ટ્રને એક કરવા જન-જનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતા કી જય ના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રા ગોધરાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ હતી.

Share

Related posts

આજરોજ વાગધારા સંસ્થા દ્વારા દાહોદ ,જિલ્લાના ઝાલોદ, તાલુકાના રાયપુરા ,ગામમાં બીજ ઉત્સવ (પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમ ) નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર

Admin

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી પાસે કાર અવરજવર કરતા ઢાળ પર ખાબકી:જાનહાનિ ટળી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial