Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ કોર્ટની લોક અદાલતમાં 783 કેસોના નિકાલ થયો જેમાં 36,90,819 રૂપિયા રિકવર કરાયા લાઈટબિલમાં 178 કેસોનો નિકાલ કરી 10,07,000 રૂપિયા રિકવર કરાયા

ઝાલોદ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં સમાધાનને પાત્ર એવા જુના તથા નવા કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પક્ષકારોએ રાહત અનુભવી હતી.આ લોક અદાલતમાં એડી. ચીફ જ્યુડી. મેજી. એસ. એ. ટેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વકીલ મંડળના પંકજભાઇ પારિક,સેજલ વસૈયા અને ડી.કે નિનામા સહિતના હોદ્દેદારો, નાઝર, વકીલો, બેંક કર્મચારીઓ અને કોર્ટના સ્ટાફ સભ્યો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંતમોટી સંખ્યામાં પક્ષકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ લોક અદાલતનો મુખ્ય હેતુ કોર્ટ પરના કેસોનો બોજ ઓછો કરવાનો અને પક્ષકારોને ઝડપી અને સસ્તા દરે ન્યાય અપાવવાનો હતો. આ પ્રયાસોના પરિણામે કુલ 962 જેટલા કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો હતો. આ સિદ્ધિ બદલ સૌએ ખુશી વ્યક્ત કરી હતી.લોક અદાલતની આ પહેલથી ન્યાય પ્રણાલી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

Share

Related posts

ઝાલોદ નગરના ઇશાન હોસ્પિટલના ડૉ રોહિત મેરાવતે અંડાસયની ગાંઠનુ સફળ ઓપરેશન કર્યુંઅંડાસય માંથી ત્રણ કિલોની બે ગાંઠ સફળ રીતે કાઢવામાં આવી

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા ધાવડીયા ચેક પોસ્ટ પર રાહદારીઓને હાલાકી ન પડે તે માટે ખાડા પુરવામા આવ્યાજવાબદાર રોડ અધિકારીઓની બે દરકારી સામે ઝાલોદ પોલિસ સહાયક ભૂમિકામા

gujaratjanekta

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial