બાળકોને દર શનિવારે સ્કૂલબેગ અને પુસ્તકો વિના શાળાએ આવવાનું રહે, જેથી શૈક્ષણિક ભાર ઓછો થાય અને તેઓ હળવાશ અનુભવે. આ દિવસે પરંપરાગત અભ્યાસને બદલે બાળકોને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે, જેમાં રમતગમત, કલા, સંગીત, નાટક, હસ્તકલા, વાર્તાકથન, અને અન્ય કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે ત્યારે ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી .એમ સ્કૂલમાં આવેલ શ્રીમતી જમુબેન વલ્લભદાસ શેઠ મિડલ સ્કૂલ ના ધોરણ છ (૬) વિધાર્થીઓને વર્ગ શિક્ષક અંકુર પટેલ દ્રારા ઝાલોદ નગરમાં આવેલ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દરેક બીમારીને લગતા દરેક વોર્ડ માં તબીબી સારવાર, વોર્ડમાં ગોઠવેલ મસીનો, ઓજારો અને દરેક વોર્ડના ડોક્ટરની માહિતી પૂરી પાડી શિક્ષક દ્રારા વિધાર્થીઓને સમજાવ્યા.

