સોલંકી કિશોરસિંહ,
બીજ ભક્તિ કા ઊગા નિજ ગેહમેધ્યેય કી પ્રતિમા સ્વયં હી બન ગયે.ઉપર્યુક્ત યુક્તિને સાચા અર્થમાં સાર્થક કરતાં પરમ્ પૂજનીય, સરળ અને સૌમ્ય સ્વભાવીશ્રદ્ધેય શ્રી રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર,બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી,જે યાત્રા માત્ર ભક્તિ પૂરતી સીમિત નાં રહેતા સમાજમાં જનજાગૃતિ આવે એવાં ઉમદા અભિગમથીઅંગદાન,રક્તદાન, બેટી બચાવો, બેટી પઢાઓ, કન્યાનું,દાન કરો વેચાણ નહીં ,વૃક્ષ વાવો , વરસાદ લાવો,પર્યાવરણ નું જતન કરો, અંધશ્રદ્ધા દૂર કરોજેવાં બેનરો સાથે વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી નારેબાજી કરી લોકો ને સંદેશ આપ્યો હતો,જેમાં સાથી કાર્યકર્તાબંધુ સનુભાઈ માવી પણ ઉપસ્થિત રહ્યાં.આમાં ઉપસ્થિત ભક્તજનો માં સમાજ પરીવર્તન લાવવાની ભાવના સાથે ગજબના અનુશાસન નાં પણ દર્શન થયાં…

