પંકજ પંડિત
ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાની અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વિજ જોડાણ, વન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, મહેસુલ, પાણી પુરવઠા અને ખેતીવાડી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.આજે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં 9 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી જે તે વિભાગનાં અધિકારીઓને ઉકેલ લાવવા માટે સુચના આપી હતી. ઝાલોદ સંકલન સમિતિની બેઠકમાં ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ફતેપુરા 129 વિધાનસભાનાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન વસૈયા, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, તાલુકા શિક્ષણ અધિકારી, ATDO, નાયબ મામલતદાર, એમજીવીસીના નાયબ કાર્યપાલક ઇજનેર,બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર,આરએફઓ, પીઆઇ,પીએસઆઇ, તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

