Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લો બોલો… ગોધરામાં ઓવર બ્રિજનું તત્કાલિન પુર્ણેશ મોદીએ ૨૧ મહીના પહેલા ખાતમુર્હત કર્યું અને ફરી વડાપ્રધાને ઈ-ખાતમુર્હત કરતા શહેરીજનો માથુ ખંજવાળતા થઈ ગયા !!

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગોધરાના લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ થી પ્રભા કોતર સુધી ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલીની જાહેરસભાના મંચ ઉપરથી ઈ-ખાતમૂર્હત કરતા ગોધરા નગરના શહેરીજનો અને ખુદ ભા.જ.પ. સમૂહમાં માથુ ખજોરતા રહી ગયા.

કારણ કે ગોધરા લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યાઓથી શહેરીજનોને મુક્ત કરાવવામાં આવશે ની જાહેરાત સાથે ગુજરાત સરકારના તત્કાલીન સમયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ગોધરા ખાતે લાલબાગ એસ.ટી. સ્ટેન્ડ ખાતેથી ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત સાથે ખાતમુર્હત કરાયું હતું. ત્યારબાદ ૨૧ મહિનાઓ વિતીગયા બાદ આજરોજ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધુ એક વખત આજ ઓવરબ્રિજનું ઈ-ખાતમુર્હત કરવામાં આવતા શહેરીજનો પણ ચર્ચાઓ સાથે માથું ખંજવાળતા થઈ ગયા હતા!!

છોટાઉદેપુરના બોડેલી ખાતે યોજાયેલી સભામાંથી આ ફ્લાયઓવર બ્રીજનુ ઈ-ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ભાજપના આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


શહેરમા દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ખાસ કરીને દાહોદ રોડ પર પણ આ પરિસ્થિતી થવા પામી છે. હાલમાં ભુરાવાવ વિસ્તારમાં ફલાય ઓવર બનાવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગોધરા –દાહોદ રોડ પર ફલાય ઓવર રોડ પણ બનવાનો છે. જે થાય તે સારુ થાય પણ લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો તો થાય જ છે તે તો સ્વિકારવાનું જ રહ્યું !!

Share

Related posts

જિલ્લાના ૧૮ થી ૩૨ વર્ષની વય ધરાવતાં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે રોજગારી મેળવવાની તક

gujaratjanekta

સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિર યોજાઇ

gujaratjanekta

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial