“પ્રાંતિજ અધ્યાપક સમાજ” સંચાલિત શ્રીમતી.એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે કોલેજ કેમ્પસમાં સરકારના પરિપત્ર તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણના પત્ર સંદર્ભે “વિકાસ સપ્તાહ”૨૦૨૪ ના ભાગરૂપે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. કામેશ્વર પ્રસાદ ના માર્ગદર્શનમાં યોજાયો હતો.

ભારત સરકારના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તથા આવા કાર્યક્રમમાં સહભાગી થવા વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. ( NSS ) ના કો.ઓર્ડીનેટર ડો. કેતન મારકણા અને ડો. ગણેશ નિસરતા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને પ્રતિજ્ઞા લીધી હતી. આમ આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો.

