ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ ફતેપુરા બાર એસોસિયેશન ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમ બિન હરીફ ચૂંટાયા હતા જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ સેક્રેટરી રોહિતકુમાર અમલીયાર જોઈન્ટ સેક્રેટરી નરેશભાઈ ચરપોટ વેલફર મંત્રી રામસિંગભાઈ ડામોર લાઇબ્રેરીયન લક્ષ્મણભાઈ પણદા એલ આર લતાબેન ગરવાલ બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.વકીલ ચંદ્રસિંહ પારગી શબ્બીરભાઈ સુનેલવાલા સહિત સૌવ વકીલ ભાઈ બહેનોએ ફૂલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા.

