ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગ્રામપંચાયતના ગ્રામજનો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છેજેમાં ગ્રામજનો દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતનુ ભંડોળ તલાટી કમ મંત્રી તથા વહીવટદારને ખ્યાલ નથી તથા ગ્રામ પંચાયતના બંને કર્મચારીઓ ઉડતા જવાબ આપી રહ્યા છે જે ગામના વિકાસ માટે ખતરા સમાન છે ગામનું આયોજન ક્યાં પહોંચ્યું છે તથા ગામના અગાઉની ગ્રામસભામાં કરેલ ઠરાવની કોઈ જ પ્રોસિડીગની ચર્ચા તલાટી કમ મંત્રી કરવા તૈયાર નથી તો તે બાબતને લઈને ગ્રામજનો દ્રારા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા આવેદનપત્ર સ્વીકારીયોગ્ય કરવાની ખાતરી આપેલ હતી

