Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ગીતા મંદિરે થી ડોલ ગ્યારસ નિમિતે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

ડોલ ગ્યારસ નિમિતે આજરોજ સાંજે 5 વાગે ગીતામંદિરે થી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પૌરાણિક કથા મુજબ કૃષ્ણ ભગવાનના 18 દિવસ પછી જળવા પૂજન કરવામાં આવ્યું હતું તેથી આજના આ શુભ અવસરે અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે ગીતા મંદિરે થી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર કાઢવામાં આવે છે. ગીતા મંદિરે આવેલ તમામ મહિલાઓએ કૃષ્ણ ભગવાનની નજર ઊતારી હતી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા હતા. શોભાયાત્રા નગરમાં ભક્તિભાવ ભર્યાં વાતાવરણ વચ્ચે નીકળી હતી. આ શોભાયાત્રા છેલ્લે રામસાગર તળાવે પહોંચતા ત્યાં આરતી પૂજા કરી પૂર્ણ કરવામાં આવી હતી. આજની આ શોભાયાત્રામાં મોટાં પ્રમાણમાં અગ્રવાલ સમાજની મહિલાઓ જોડાઈ હતી અને ભગવાન કૃષ્ણની જલવા પૂજનમા હાજર રહેવાનો ગર્વ અનુભવ્યો હતો. સાક્ષાત ભગવાન કૃષ્ણની શોભાયાત્રા આખાં રસ્તે ધાર્મિક ભજનની સાથે નગરમાં ફરી હતી.

Share

Related posts

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્રારા આયોજિત મહિલા સંમેલન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોક્ષધામ ખાતે કીર્તન કરાયું

gujaratjanekta

કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું થઈ રહ્યું છે સ્ક્રીનિંગ, અમદાવાદ એરપોર્ટ પર 33 હજાર પેસેન્જરોની અવર જવર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial