ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તે ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતેથી વડવાસ નીલકંઠ મંદિરના દર્શન કરીને વડવાસ પંચમુખી હનુમાન મંદિર ના દર્શન કર્યા ત્યાંર બાદ વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભજન, ધૂન કરીને ભક્તિમય વાતાવરણ બન્યું હતું અને પ્રવાસમાં સમગ્ર નાસ્તાનું અયોજન શાળાના શિક્ષક શ્રી આર. એસ. પટેલ તરફથી કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર પ્રવાસ નું આયોજન પ્રવાસ મંત્રી શ્રી એચ.જે. પારગી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફગણ અને આચાર્ય શ્રી ડી.એન.પ્રજાપતી પણ પૂરેપૂરો સહયોગ રહ્યો હતો. આમ પગપાળા પ્રવાસ રંગે ચંગે પૂર્ણ થયો હતો

