તા. ૯/૬/૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત તીરગર સમાજ ટ્રસ્ટ દ્વારા માર્ચ ૨૦૨૪ માં પાસ થયેલ તેજસ્વી તારલાઓના સન્માન અર્થે એક સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. તીરગર સમાજ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦, ૧૨, સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉર્તિણ થયેલ તેમજ સમાજના ડોકટર, વકીલ, પી.એચ.ડી., રમત ગમત અને સંગીત, રાજકીય ક્ષેત્રે સેવા આપનાર તમામનો સન્માન સમારોહ માનનીય પુર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક વરદ હસ્તે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, આઈ.ટી.આઇ. કોલેજની બાજુમાં, મોટા સોનેલા, મોડાસા રોડ, મું. લુણાવાડા ખાતે યોજાયો હતો.

જેમાં ખુબ મોટી સંખ્યામાં તીરગર સમાજના લોકો એકત્રીત થયા હતા. સમાજના લોકો એકત્રીત થાય, સંગઠિત થાય અને સંઘર્ષ કરતા થાય તેમજ સમાજના આગળના ભવિષ્યનુ ચિંતનના ભાગરૂપે પ્રાણ પ્રશ્નોનો વાર્તાલાપ પણ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે તીરગર સમાજ વિકાસ ટ્રસ્ટના મહામંત્રી ભાનુપ્રસાદ એચ. પરમાર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મહેશભાઈ એસ તિરગર, પ્રમુખ જેઠાભાઈ જી. તીરગર તેમજ તેમના સાથી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

