Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદતાલુકાનાલીમડી-લીમખેડાલેબોરેટરીના અહેવાલ બાદ બ્રિજના સમારકામ અંગે આગળની કાર્યવાહી થશેદાહોદ જિલ્લામાં લીમડી-લીમખેડા રોડ પર આવેલા વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ (સ્ટ્રેન્થ ટેસ્ટિંગ) શરૂ કરવામાં આવ્યું છે.માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.નિરીક્ષણ બાદ હવે બ્રિજની સુરક્ષા અને મજબૂતીની ખાતરી કરવા માટે તેના જુદા જુદા ભાગોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલને વધુ પરીક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે.લેબોરેટરીના અહેવાલ બાદ બ્રિજના સમારકામ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પરીક્ષણ કામગીરીને કારણે રવિવારના દિવસે આ રોડ પરથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જેથી કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાય.સ્થાનિકો અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.આ પરીક્ષણ દ્વારા બ્રિજની વર્તમાન સ્થિતિનો ચોક્કસ અંદાજ મેળવી શકાશે, જેના આધારે સમારકામ અથવા પુનઃનિર્માણનો નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Share

Related posts

રાશિફળ : ૧૦ સપ્ટેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે ? વાંચો શું કહે છે જ્યોતિષ ડો. શરદચંદ્ર પંડ્યા

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ : દાહોદજિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા

gujaratjanekta

દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.. 400 જેટલા બાળકોને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું..

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial