વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભા રહી ગયા છે. ખેડૂતો આખી રાત સરહદ પર રહ્યા હતા. રાત્રે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. હરિયાણા પોલીસનું કહેવું છે કે, ખેડૂતોને કોઈપણ સંજોગોમાં રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન દિલ્હી-NCRમાં ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ-જેમ દિલ્હી પોલીસ વિરોધ કરી રહેલા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવાની તૈયારી કરી રહી છે. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. આ સરહદો પર સિમેન્ટ અને લોખંડનું બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.
દિલ્હીની તમામ સરહદોની મજબૂત કિલ્લેબંધી
ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને ધ્યાનમાં રાખીને, ટિકરી-સિંઘુ અને શંભુની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે જેથી ખેડૂતો તેમના ટ્રેક્ટર અને ટ્રોલીઓ સાથે રાજધાનીમાં પ્રવેશી શકશે નહીં. યુપી સાથેની ચિલ્લા-ગાઝીપુર બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર બેરીકેટ્સ, લોખંડની ખીલીઓ અને કોંક્રીટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે.હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે રાત્રે ટીયર ગેસનો ઉપયોગ પણ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે. તેઓ રાતથી દિલ્હીથી 200 કિમી દૂર પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ઉભા છે. આજે બુધવારે ફરી એકવાર ખેડૂતો હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન, હરિયાણા પોલીસે કહ્યું કે, તે કોઈ પણ દેખાવકારોને રાજ્યમાં પ્રવેશવા દેશે નહીં.

