ધી ગોધરા સીટી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ગોધરાના શતાબ્દી વર્ષ નિમિત્તે સામાજિક ફરજના ભાગરૂપે સભાસદો, ગ્રાહકો, નગરજનો માટે નિશુલ્ક મોતિયાના ઓપરેશનના કેમ્પ ની શરૂઆત સદવિચાર પરિવાર પીટી મીરાણી આઈ હોસ્પિટલ ના સહયોગથી રાખવામાં આવેલ હતો.

જેમાં મોટી સંખ્યામાં મોતિયાના દર્દીઓએ ભાગ લીધેલ છે. આગામી 30 ઓક્ટોબર 2023 સુધી આ કેમ્પ ચાલુ રહેશે. ગોધરા નગર જનોને લાભ લેવા ધી ગોધરા સીટી કો. ઓપરેટિંવ બેંક તરફથી જણાવવામાં આવ્યુ હતુ. આ ઓપરેશન કેમ્પમાં બેંકના ચેરમેન શ્રી કે.ટી. પરીખ, બેંકના ડિરેક્ટરશ્રીઓ, મેનેજરશ્રી, પી ટી મિરાણી હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહી બેંકની સેવાઓને બિરદાવેલ છે.

