Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા દશેરા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીઓમાંથી કુલ 6 નમૂના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

નવરાત્રી અને દશેરા નિમિત્તે ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ) દ્વારા મીઠાઇ, માવો, પ્રીપેર્ડ ફુડ, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૧૫ નમૂના સ્થળ પર જ તપાસ્યા હતા અને બિન આરોગ્યપ્રદ ૨૩૫ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. દશેરાને ધ્યાનમાં રાખીને ફાફડા-જલેબીનું વેચાણ કરતી દુકાનો તેમજ તંબુ વગેરેમાં ચેકિંગ કરીને બેકરી પ્રોડકટસના તેમજ ફાફડા-જલેબીના કુલ ૨૦ નમૂના લઇ તપાસ માટે રાજ્ય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

તંત્ર દ્વારા હજુ પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઇ-ફરસાણની દુકાનોમાં તપાસ કામગીરી ચાલુ રખાશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share

Related posts

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ નું એકદમ મજેદાર, ધમાકેદાર ટ્રેલર થયું મુંબઈ માં લૉન્ચ કરવામાં આવ્યું

Admin

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાને હસ્તે 3.85 કરોડના કામોનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

gujaratjanekta

કેશોદમાં પશુપાલન મંત્રીની જીત બાદ ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્યું હતું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial