Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ખેતરમાં માસુમ બાળક પર પત્થરના ઘા કરી હત્યા કરાઈ – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે આશરે 4 વર્ષના માસુમ બાળકની હત્યા કરેલી ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો. નાની ભુગેડી ગામે સાંગલ ફળિયામાં રહેતા ફરિયાદી નીપમ કુમાર બળદેવભાઈ પંચાલ પોતાના ખેતરમાં મકાઈની ખેતી કરેલી હતી. નીપમ કુમાર ના ખેતરની આજુબાજુ ઘણા લોકો ખેતી કરે છે અને આ ખેતરની અંદર બાળકની લાશ જોવા મળેલી હતી. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ખેતરના માલિકને આવીને જણાવેલું કે તમારા ખેતરમાં એક બાળક લોહી લુહાણ હાલતમાં જોવા મળેલું છે તાત્કાલિક ખેતરના માલિકે પોલીસ સ્ટેશને જાણ કરેલી હતી. આ ઘટનાની જાણ થતા જ બધા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ કોઇ સ્ત્રી પોતાના બાળક સાથે બાળકને લઈ અગમ્ય કારણસર પથ્થર વડે માથાના ભાગે ચાર થી પાંચ વાર ઘા કરીને ઈજા પહોંચાડી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ મોટા વજનદાર પથ્થરનો ઉપયોગ કરેલો હતો. આજુબાજુના ગ્રામના લોકોનુ કહેવું હતુ કે એ સ્ત્રી આશરે ૨૫ વર્ષની અને તેના શરીર પર ભૂખરા કલરનું ગાઉન અને પીળા કલરની ઓઢણી ઓઢીને તેના હાથમાં પીળા કલરની થેલી હતી તેમજ લાલ કલરનો ચણીયો પહેરેલો હતો. આ રીતે ઓળખાણ આપી હતી. સંતરામપુર પોલીસે આ વર્ણના આધારે 302 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી તેમજ બાળકના પરિવાર સાથેની કોઈ ઓળખ થઇ નથી.

 

Share

Related posts

દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે

gujaratjanekta

ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે : જુઓ લિસ્ટ

gujaratjanekta

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો–બેટી પઢાવો ’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ હેઠળ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial