ઝાલોદ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત આજ રોજ તા.૦૬/૦૧/૨૦૨૬ (મંગળવાર)ના રોજ શહેરમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી. માનનીય મુખ્ય અધિકારી શ્રી યોગેશ જે. ગણાત્રાની સૂચના અનુસાર નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ તથા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી.આ અભિયાન દરમ્યાન ઝાલોદના રહેણાંક વિસ્તારો ઉપરાંત બાંસવાડા રોડ સબ્જી માર્કેટ તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. ગંદકી દૂર કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ સાથે નગરપાલિકાના કર્મચારીઓએ સઘન સફાઈ કામગીરી કરી હતી.
સાથે સાથે નાગરિકો અને વેપારીઓને સ્વચ્છતા જાળવવાની મહત્વતા સમજાવવામાં આવી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. નગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.

