દાહોદ જિલ્લા ના લીમડી તાલુકા સ્થિત કંબોઇ ધામ ખાતે આજ રોજ, તા. 13 નવેમ્બર 2025 ગુરુવારના રોજ ધારાસભ્ય મહેશ ભૂરીયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર ,ડી.ઓ , જિલ્લા સભ્યો તથા અન્ય અધિકારીઓની અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં 15 નવેમ્બર 2025 શનિવારના રોજ બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. આ અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના લાઈવ સંબોધનનું પ્રસારણ ગુરુ ગોવિંદ કંબોઇ ધામ ખાતે છે બપોરે 2:00 વાગ્યે રાખવામાં આવેલ છેબેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે દરેક ગામના સરપંચો તથા તલાટીઓ ગ્રામજનોને સમયસર કંબોઇ ધામ ખાતે પહોંચવામાં સહાયરૂપ થાય, જેથી દરેક નાગરિક આ પ્રેરણાદાયી કાર્યક્રમનો લાભ લઈ શકે અને ભાજપ પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પ્રોગ્રામમાં પોતાનો પૂર્ણ સહયોગ આપી શકે.કંબોઇ ધામ ખાતે પ્રધાનમંત્રી મોદીના વિચારો સાંભળવા ,ભગવાન બિરસા મુંડાજીની અખંડ જાગૃતિને નમન કરવા માટે મોટા પ્રમાણમાં જનસમુદાય આવે તેવું આયોજન કરવામાં આવેલ છે.

