આજરોજ પી.એસ.સી ગામડી 2 ગામે માન્ય.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઉદય ટીલાવત સાહેબ તથા ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.તુષાર ભાભોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા“ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ યોજવામાં આવ્યો .આરોગ્ય કિરણ કાર્યક્રમ હેઠળ નીચે મુજબ સેવાઓ આપવામાં આવી
સગર્ભા મહિલાની તપાસ,આભા કાર્ડ નોંધણી,પી.એમ.જે. એ.વાય. કાર્ડ સેવા,જનરલ આરોગ્ય તપાસ,એન.સી.ડી. તપાસ (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે),સીકલ સેલ તપાસ,ટી.બી. તપાસ,લેબોરેટરી તપાસ,મેલેરિયા તપાસ,રસીકરણ સેવા આપવામાં આવી. જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર અર્ચના સોલંકી ફીમેલ સુપરવાઈઝર શ્રી MPHW (ગામડી – 2) ચોહાણ જયેશ. CHO,fhw, આશા બેનો અને તમામ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા .

